ઇન્ટર્નશીપ : સંકલ્પના,હેતુઓ
ઇન્ટર્નશીપ : સંકલ્પના,હેતુઓ,
પ્રસ્તાવના
ઇન્ટર્નશીપ શબ્દ ઔધોગીક તાલીમ,સેલ્સમેનશીપ,દાકતરી તાલીમના
અભ્યાસક્રમમાં છે તેવી જ રીતે બી.એડમાં પણ આ શબ્દ છે જ. તાલીમાર્થી તાલીમ દરમિયાન
મળેલા શિક્ષણકાર્યના પાયાના અનુભવોને લઈને પોતાના કાર્યને વધુ સમૃધ બનાવવા માટે
ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં જોડાય છે.
ઇન્ટર્નશીપ શબ્દને
વ્યાખ્યાયિત કરવો હોય તો તાલીમાર્થી પોતાની વ્યાવસાયિક ફરજો અને જવાબદારીઓ
સંતોષકારક રીતે બજાવી શકે તે માટેની જરૂરી અને અનિવાર્ય ક્ષમતઓ, સૂઝ,કૌશલ્યો અને
આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા માટે વાસ્તવિક પર્યાવરણમાં પૂરતા પ્રમાણમાં પૂરતા નક્કર
અનુભવોની જોગવાઈ.
વ્યાખ્યા
“વ્યવસાયિક તાલીમ
અભ્યાસક્રમો –જેવા કે તબીબી, ઈજનેરી, ટેકનીકલ,પત્રકારત્વ,સેલ્સમેનશીપ, બીઝનેસ
મેનેજમેન્ટ
વગેરેમાં વાસ્તવિક છે પરિસ્થિતિમાં કાર્યાનુભવ આપવાની
જોગવાઈ હોય છે
મેળવેલ સેધાંતિક જ્ઞાનનો વિનિયોગ
સરળતાથી કરી શકે તે માટે વિધાર્થીને નિશ્ચિત
કાર્યક્ષેત્રમાં
લઇ જઈને ત્યાં સધન અનુભવ આપવામાં આવે છે આવા
અનુભવ આપવાથી
જોગવાઈને ઇન્ટર્નશીપ તરીકે ઓળખવામાં
આવે
છે.”
"વિધાર્થીઓના રસ,રૂચી,શક્તિ અને જરૂરિયાત તેમજ તેમની વયકક્ષા પ્રમાણેના કૌશલ્યના વિકાસ માટે જરૂરી તાલીમનું આયોજન કરીને સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્યમાં તેમનું યોગદાન નોધાવવું એટલે જ કાર્યાનુભવ."
સંકલ્પના
- ઇન્ટર્નશીપ દરમિયાન તાલીમાર્થી નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે.
- ઇન્ટર્નશીપ દરમિયાન તાલીમાર્થી વિવિધ પ્રવૃત્તિ અંગેનો અનુભવ જાતે કરીને મેળવે છે.
- ઇન્ટર્નશીપ થકી તાલીમાર્થી તેમાં કુશળતા પ્રાપ્ત કરે છે.
- ઇન્ટર્નશીપ થકી વિધાર્થીને નિશ્ચિત કાર્યક્ષેત્રમાં લઈ જઈને સધન અનુભવ આપવામાં આવે છે.
- ઇન્ટર્નશીપ થકી તાલીમાર્થી તેમને મેળવેલ સૈદ્ધાંતિક જ્ઞાનનો વિનિયોગ કરતા શીખે છે.
- ઇન્ટર્નશીપથી તાલીમાર્થી પોતાના પાઠોનું યોગ્ય આયોજન કરતા શીખે છે.
હેતુઓ
- ક્રમીક્તાથી નિયમપૂર્વક કાર્ય કરવાની પ્રણાલીનો વિકાસ કરવો.
- સર્જનાત્મકચિંતન અને સ્વઅભિવ્યક્તિ માટે વિધાર્થીને અનુકુળ તક આપવી.
- ઉત્પાદન કુશળતાની સાથે સાથે આર્થિક રીતની સક્ષમતાનો વિકાસ કરવો.
- વિધાર્થીમાં સામાજિક ભાવનાનો વિકાસ કરવો.
- વિધાર્થી સામાજિક જાગૃતતા વધારવા અને સમાજની ઉન્નતિમાં પોતાની વૈયક્તિક ભાગીદારી નોધાવે.
- વ્યાવસાયિક દ્રષ્ટિ વધારી વિધાર્થીને રોજગારીની ટકો આપવી.
- આત્મનિર્ભર સમાજનું નિર્માણ કરવું.
- S.U.P.W ના માધ્યમથી કોઈપણ ક્ષેત્રના વિધાર્થીમાં શ્રમિકો પ્રત્યે માનની ભાવના જન્મે.
- વિધાર્થીઓમાં આત્મસન્માન અને આત્મા વિશ્વાસનો વધારો કરવો.
- પોતાના ક્ષેત્રે આવતી મુશ્કેલીનો સામનો કરવા વિધાર્થીને સમક્ષ બનાવવો.
- વિધાર્થીમાં સામાજિક,નૈતિક મુલ્યોનો વિકાસ કરવો.
- દરેક સામાજિક વ્યવસાયોથી વિધાર્થીઓ ને પરિચિત કરવા.
- વિધાર્થીને આવા કાર્યાનુભવો દ્રારા રસ,રૂચીઅને વલણોને યોગ્ય દિશામાં વાળવી.
- આવા અભ્યાસક્રમની સમગ્ર સમાજને મજબૂત સ્વનિર્ભર અને સંગઠીત બનાવવો.
મારા મતે ઇન્ટર્નશીપ એટલે ......
Comments
Post a Comment