શિક્ષક પ્રશિક્ષણના મુલ્યાંકન તરીકે ચેકલીસ્ટ

શિક્ષક પ્રશિક્ષણના મુલ્યાંકન તરીકે ચેકલીસ્ટ

અર્થ:-

  • ચેકલીસ્ટ ને ગુજરાતીમાં ઓળખયાદી કહે છે.
  • માહિતી મેળવવાની આ એક ખૂબ સાદી પ્રયુક્તિ છે.સંશોધક સમસ્યાની યાદી તૈયાર કરે છે.ચેકલીસ્ટ માં કોઈપણ લક્ષણમાં ગુણધર્મની યાદી હોય છે.પ્રત્યેક કલમ સામે “હાજરી કે ગેરહાજરી”, “હા કે ના” વિકલ્પ આપવામાં આવે છે.ત્યારબાદ માહિતી આપનારી ફક્ત “ખરાં કે ખોટાં”ની નિશાની કરવાની હોય છે.
  • તે પ્રત્યક્ષ કે પ્રરોક્ષ રીતે માહિતી ભેગી કરવી હોય ત્યારે ઉપયોગી છે.
  • ઓળખયાદી દ્રારા જે જવાબો મળે છે,તે સત્ય જ હોય છે તેમાં ધારણા હોતી નથી.
  • શૈક્ષણિકક્ષેત્રે સત્ય માહિતી ભેગી કરવા ઓળખયાદી એ અગત્યનું સાધન છે.તે વર્તનમાં નિરીક્ષણનું અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આમ,ઓળખયાદી એટલે પ્રતિચાર આપવા માટે “હા કે ના” એમ બે બિંદુઓ દ્રારા વિધાનો અથવા પ્રશ્નોની યાદી. 

દીપિકાબેન શાહ ના કહ્યા મુજબ

ઓળખયાદી  બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:-
  • ઓળખયાદી બનાવવા માટે જે તે ગુણધર્મ અનુલક્ષીને સંદર્ભ સાહિત્યનું વાંચન કરવું.
  • જે શબ્દોનો ઉપયોગ કરો તેની સ્પષ્ટ વ્યાખ્યા આપવી.
  • પ્રશ્નો પૂરેપુરા અને બંધબેસતા મૂકવા.
  • ઓળખયાદી સફળ સંશોધકોને તપાસવા માટે આપવી.
  • અભ્યાસ માટે જે માહિતી કે વિગતોની જરૂર હોય તે જ પ્રશ્નો મુકવા.
  • તાર્કિક અને મનોવેજ્ઞાનિક કક્ષા પ્રમાણે પ્રશ્નો ગોઠવવા.એકબીજા સાથે સંબંધ ધરાવતા પ્રશ્નોને એક જુથમાં ગોઠવવા.
  • તમારે જે વિગતો અને માહિતીની જરૂર હોય તે પ્રમાણે યોગ્ય રીતે દરેક પ્રશ્નો ગોઠવવા જોઈએ.
  • સફળ સંશોધક દ્રારા શૈક્ષણિક સંશોધનના હેતુસાર તૈયારકરાયેલ અને ઉપયોગમાં લેવામાં આવેલી ઓળખયાદીનું ઝીણવટ પૂર્વક પરીક્ષણ કરો.



Comments

Popular posts from this blog

ઇન્ટર્નશીપ : સંકલ્પના,હેતુઓ

ઇન્ટર્નશીપ પૂર્વે અને પછીની પ્રવૃત્તિઓ

ઓળખયાદી (ચેકલિસ્ટ) ઉપયોગ