D.EL.ED
પ્રસ્તાવના:-
પૂર્વ સેવાકાલીન શિક્ષક-શિક્ષણ D.EL.ED એ બે વર્ષનો વ્યવસાયિક કાર્યકમ છે.તેનો ઉદેશ્ય શિક્ષણનું પ્રારંભિક સ્તર કે અવસ્થા એટલે કે 1 થી 5 સુધીના શિક્ષકોને તૈયાર કરવાનું છે.પ્રાથમિક શિક્ષણનો ઉદેશ્ય સમાજની સક્રિય ભાગીદારીથી સમાજ અને જાતિના ભેદોને દૂર કરી સમાવેશી શાળાના પર્યાવરણ/વાતાવરણમાં બધા બાળકોની શિક્ષણ પ્રાપ્ત કરવાની બુનિયાદી એટલે કે પ્રાથમિક આવશ્ક્તાને પૂરી કરવાનું છે.
કોર્ષ નો સમયગાળો અને કાર્યદિવસ:-
પૂર્વ સેવાકાલીન શિક્ષક-શિક્ષણ D.EL.ED એ બે વર્ષનો વ્યવસાયિક કાર્યકમ છે.તેનો ઉદેશ્ય શિક્ષણનું પ્રારંભિક સ્તર કે અવસ્થા એટલે કે 1 થી 5 સુધીના શિક્ષકોને તૈયાર કરવાનું છે.પ્રાથમિક શિક્ષણનો ઉદેશ્ય સમાજની સક્રિય ભાગીદારીથી સમાજ અને જાતિના ભેદોને દૂર કરી સમાવેશી શાળાના પર્યાવરણ/વાતાવરણમાં બધા બાળકોની શિક્ષણ પ્રાપ્ત કરવાની બુનિયાદી એટલે કે પ્રાથમિક આવશ્ક્તાને પૂરી કરવાનું છે.
પૂર્વ સેવાકાલીન શિક્ષક-શિક્ષણ કાર્યક્રમના જુદા જુદા નામ છે.જેવા કે,બી.ટી.સી , જે.બી.ટી.,ડી.એડ(ડિપ્લોમાં ઈન એજ્યુકેશન).હવેથી દરેક રાજ્યમાં આ કાર્યક્રમનું નામ એક જ હશે અને તેનો ઉલ્લેખ "પ્રારંભિક શિક્ષણનું ડિપ્લોમાં (ડિપ્લોમાં ઇન એલીમેટરી એજ્યુકેશન)થી કરવામાં આવશે.
કોર્ષ નો સમયગાળો અને કાર્યદિવસ:-
સમયગાળો :-
D.EL.ED ક્રાર્યક્મ બે શૈક્ષણિક વર્ષોની સમયમર્યાદા વાળા હશે પરંતુ વિધાર્થીઓને આ કાર્યક્રમ પ્રવેશની તારીખથી વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીની મર્યાદામાં આ ક્રાર્યક્રમને પૂરો કરવાની પરવાગીની છે.
કામના દિવસો:-
- દરેક વર્ષમાં કામ કરવાના ઓછામાં ઓછા ૨૦૦ દિવસ હશે,જેમાં પરિક્ષા અને પ્રવેશનો સમયગાળો ગણાશે નહિ.
- સંસ્થા અઠવાડિયામાં ઓછામાં ઓછું 36 કલાક કામ કરશે. જે દરમિયાન સંસ્થામાં બધા જ અધ્યાપકો અને તાલીમાર્થીઓને હાજર રહેવું આવશ્યક છે. જેથી આવશ્ક્તા પડતા કે જરૂર પડતા સલાહ, માર્ગદર્શન,વાર્તાલાપ અને વિચારવિમર્શ કરવા માટે તેમની હાજરી મેળવી શકાય.
- તાલીમાર્થીઓ માટે ઓછામાં ઓછી ૮૦% હાજરી જરૂરી છે જેમાં પાઠયક્રમ ક્રાર્ય એટલે કે શેક્ષણિક કાર્ય અને પ્રયોગાત્મક કાર્યનો પણ સમાવેશ થાય છે.જયારે ઇન્ટર્નશીપની હાજરી ૯૦% હશે.
પ્રવેશ ની ક્ષમતા(સંખ્યા),લાયકાત,પ્રવેશપ્રક્રિયા અને ફી :-
પ્રવેશ ની સંખ્યા:-
- બુનિયાદી યુનિટ ૫૦ વિદ્યાર્થીઓનું રહેશે. શરુઆતમાં બે બુનિયાદી યુનિટોની પરવાનગી છે.પરંતુ સરકારી સંસ્થાઓને બીજી અપેક્ષા ઓ પૂરી કરવાથી વધુમાં વધુ ચાર યુનિટ રાખવાની પરવાનગી આપવામાં આવે છે.
લાયકાત:-
- ઉચ્ચ માધ્યમિક એટલે કે ધોરણ-12 અથવા તેને સમકક્ષ પરિક્ષામાં ઓછામાં ઓછા 50%ગુણ મેળવેલ ઉમેદવારને પ્રવેશ પાત્ર ગણવામાં આવે છે.
- અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિ/અન્ય નિમ્ન વર્ગો/પીડબલ્યુડી અને અન્ય શ્રેણીઓ માટે અનામત સીટ અને ટકાવારીમાં બાંધછોડ કેન્દ્ર સરકારના નિયમો અનુસાર હશે તે લાગુ પડશે.
Comments
Post a Comment