D.EL.ED

પ્રસ્તાવના:-

                 પૂર્વ સેવાકાલીન શિક્ષક-શિક્ષણ D.EL.ED એ બે વર્ષનો વ્યવસાયિક કાર્યકમ છે.તેનો ઉદેશ્ય શિક્ષણનું પ્રારંભિક સ્તર કે અવસ્થા એટલે કે 1 થી 5 સુધીના શિક્ષકોને તૈયાર કરવાનું છે.પ્રાથમિક શિક્ષણનો ઉદેશ્ય સમાજની સક્રિય ભાગીદારીથી સમાજ અને જાતિના ભેદોને દૂર કરી સમાવેશી શાળાના પર્યાવરણ/વાતાવરણમાં બધા બાળકોની શિક્ષણ પ્રાપ્ત કરવાની બુનિયાદી એટલે કે પ્રાથમિક આવશ્ક્તાને પૂરી કરવાનું છે.
                 પૂર્વ સેવાકાલીન શિક્ષક-શિક્ષણ કાર્યક્રમના જુદા જુદા નામ છે.જેવા કે,બી.ટી.સી , જે.બી.ટી.,ડી.એડ(ડિપ્લોમાં ઈન એજ્યુકેશન).હવેથી દરેક રાજ્યમાં આ કાર્યક્રમનું નામ એક જ હશે અને તેનો ઉલ્લેખ "પ્રારંભિક શિક્ષણનું ડિપ્લોમાં (ડિપ્લોમાં ઇન એલીમેટરી એજ્યુકેશન)થી કરવામાં આવશે.

  કોર્ષ નો સમયગાળો અને કાર્યદિવસ:-
       સમયગાળો :-

                D.EL.ED ક્રાર્યક્મ બે શૈક્ષણિક વર્ષોની સમયમર્યાદા વાળા હશે પરંતુ વિધાર્થીઓને આ                     કાર્યક્રમ  પ્રવેશની તારીખથી વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીની મર્યાદામાં આ ક્રાર્યક્રમને પૂરો                              કરવાની પરવાગીની છે.

         કામના દિવસો:- 

  •  દરેક વર્ષમાં કામ કરવાના ઓછામાં ઓછા ૨૦૦ દિવસ હશે,જેમાં પરિક્ષા અને                                  પ્રવેશનો  સમયગાળો ગણાશે નહિ.
  •  સંસ્થા અઠવાડિયામાં ઓછામાં ઓછું 36 કલાક કામ કરશે. જે દરમિયાન સંસ્થામાં બધા જ                     અધ્યાપકો અને તાલીમાર્થીઓને હાજર રહેવું આવશ્યક છે. જેથી આવશ્ક્તા પડતા કે જરૂર                   પડતા સલાહ, માર્ગદર્શન,વાર્તાલાપ અને વિચારવિમર્શ કરવા માટે તેમની હાજરી મેળવી                    શકાય.
  • તાલીમાર્થીઓ માટે ઓછામાં ઓછી ૮૦% હાજરી જરૂરી છે જેમાં પાઠયક્રમ ક્રાર્ય એટલે કે                      શેક્ષણિક કાર્ય અને પ્રયોગાત્મક કાર્યનો પણ સમાવેશ થાય છે.જયારે ઇન્ટર્નશીપની હાજરી                  ૯૦% હશે.


       પ્રવેશ ની ક્ષમતા(સંખ્યા),લાયકાત,પ્રવેશપ્રક્રિયા અને ફી :- 

              પ્રવેશ ની સંખ્યા:-

  • બુનિયાદી યુનિટ ૫૦ વિદ્યાર્થીઓનું રહેશે. શરુઆતમાં બે બુનિયાદી યુનિટોની                                       પરવાનગી છે.પરંતુ સરકારી સંસ્થાઓને બીજી અપેક્ષા ઓ પૂરી કરવાથી                                           વધુમાં વધુ ચાર યુનિટ રાખવાની પરવાનગી આપવામાં આવે છે.

                    લાયકાત:- 


  • ઉચ્ચ માધ્યમિક એટલે કે ધોરણ-12 અથવા તેને સમકક્ષ પરિક્ષામાં ઓછામાં ઓછા                              50%ગુણ મેળવેલ ઉમેદવારને પ્રવેશ પાત્ર ગણવામાં આવે છે. 
  • અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિ/અન્ય નિમ્ન વર્ગો/પીડબલ્યુડી અને અન્ય                               શ્રેણીઓ માટે અનામત સીટ અને ટકાવારીમાં બાંધછોડ કેન્દ્ર સરકારના નિયમો                                 અનુસાર હશે તે લાગુ પડશે.

              પ્રવેશ પ્રક્રિયા:- 

  • પ્રવેશ પરિક્ષામાં મેળવેલ ગુણને આધારે રાજ્ય સરકાર/સંઘ રાજ્ય ક્ષેત્ર પ્રશાસનની                             નીતિના અનુસાર કે બીજી અન્ય પ્રક્રિયા અનુસાર કરવામાં આવે છે.                                                              ફી:- 
  • સંસ્થા માત્ર એક જ ફી વસુલ કરશે,જે રાજ્યસરકાર દ્વારા સમય -સમય પર સંશોધિત                            રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ વિનિમય,2002 ના નિયમો કે ધારાધોરણોના                                  અનુસાર નક્કી કરવામાં આવશે અને વિધાર્થીઓ પાસેથી દાન, પ્રતિવ્યકિત ફી વગેરે                          વસુલ નહીં કરે. 

     
   
              

Comments

Popular posts from this blog

ઇન્ટર્નશીપ : સંકલ્પના,હેતુઓ

ઇન્ટર્નશીપ પૂર્વે અને પછીની પ્રવૃત્તિઓ

ઓળખયાદી (ચેકલિસ્ટ) ઉપયોગ