Posts

Showing posts from September, 2017

શિક્ષક પ્રશિક્ષણના મુલ્યાંકન તરીકે ચેકલીસ્ટ

શિક્ષક પ્રશિક્ષણના મુલ્યાંકન તરીકે ચેકલીસ્ટ અર્થ:- ચેકલીસ્ટ ને ગુજરાતીમાં ઓળખયાદી કહે છે. માહિતી મેળવવાની આ એક ખૂબ સાદી પ્રયુક્તિ છે.સંશોધક સમસ્યાની યાદી તૈયાર કરે છે.ચેકલીસ્ટ માં કોઈપણ લક્ષણમાં ગુણધર્મની યાદી હોય છે.પ્રત્યેક કલમ સામે “હાજરી કે ગેરહાજરી”, “હા કે ના” વિકલ્પ આપવામાં આવે છે.ત્યારબાદ માહિતી આપનારી ફક્ત “ખરાં કે ખોટાં”ની નિશાની કરવાની હોય છે. તે પ્રત્યક્ષ કે પ્રરોક્ષ રીતે માહિતી ભેગી કરવી હોય ત્યારે ઉપયોગી છે. ઓળખયાદી દ્રારા જે જવાબો મળે છે,તે સત્ય જ હોય છે તેમાં ધારણા હોતી નથી. શૈક્ષણિકક્ષેત્રે સત્ય માહિતી ભેગી કરવા ઓળખયાદી એ અગત્યનું સાધન છે.તે વર્તનમાં નિરીક્ષણનું અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આમ,ઓળખયાદી એટલે પ્રતિચાર આપવા માટે “હા કે ના” એમ બે બિંદુઓ દ્રારા વિધાનો અથવા પ્રશ્નોની યાદી.   દીપિકાબેન શાહ ના કહ્યા મુજબ ઓળખયાદી  બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:- ઓળખયાદી બનાવવા માટે જે તે ગુણધર્મ અનુલક્ષીને સંદર્ભ સાહિત્યનું વાંચન કરવું. જે શબ્દોનો ઉપયોગ કરો તેની સ્પષ્ટ વ્યાખ્યા આપવી. પ્રશ્નો પૂરેપુરા અને બંધબેસતા મૂકવા. ઓળખયાદી સફળ સંશોધકો...

ઓળખયાદી (ચેકલિસ્ટ) ઉપયોગ

ઓળખયાદી નો ઉપયોગ :- ૧)ઘણાં બધા સમૂહ માહિતી મેળવવી હોય તો ઓળખયાદી જરૂરી છે. ૨)હા કે ના માં જવાબ મળવાથી માહિતીની સત્યતા વધે. ૩)માહિતી પરોક્ષ રીતે પણ ભરાવી શકાય. ૪)ઊંડાણપૂર્વક તાલીમાર્થીના ઉત્તરો માંગી શકતા નથી. ૫)વિષયવસ્તુની સંપુર્ણ માહિતી મેળવી શકાય. ૬)આત્માલક્ષી પરિણામ મળતું નથી. ૭)check list દ્રારા સંશોધનની માહિતી એકત્ર કરી શકાય છે. ૮)check list દ્રારા સંશોધકમાં તર્ક શક્તિ વિકસે છે.કારણ કે તે વિચારે છે,પ્રશ્નની યાદી            બનાવવા. ૯)એકબીજા સાથે આંતરવ્યવહાર બંધાય છે. ૧૦)check listની માહિતીના પ્રશ્નો ચોક્કસ પ્રકારના હોય છે. ૧૧)check list દ્રારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી શકાય.   

ઇન્ટર્નશીપ પૂર્વે અને પછીની પ્રવૃત્તિઓ

 ઇન્ટર્નશીપ પૂર્વેની પ્રવૃત્તિ  ઇન્ટર્નશીપ પહેલાં અધ્યાપકો તાલીમાર્થીને યોગ્ય માર્ગદર્શન આપે. ઇન્ટર્નશીપ પહેલાં તાલીમાર્થીઓ પાઠનું આયોજન કરતાં શીખે છે. ઇન્ટર્નશીપ પહેલાં સાત અઠવાડિયાનું આયોજન કરે. વિવિધ સ્પર્ધાઓ, રમત-ગમત,અને અધ્યાપનકાર્યનું આયોજન કરે. ઇન્ટર્નશીપ કાર્યક્રમ પહેલાં તાલીમાર્થી સ્કૂલના વાતાવરણને વિશે વિચારે. ઇન્ટર્નશીપ પહેલાં જરનલ વિશે માહિતી અધ્યાપકો તાલીમાર્થીને આપે. ઇન્ટર્નશીપ કાર્યક્રમ સંદર્ભ માં આયોજનની જાણકારી અને વ્યવસ્થા અંગે આચર્યો દ્રારા માહિતી પ્રાપ્ત કરવી. જે શાળામાં ઇન્ટર્નશીપ લેવાની હોય એ શાળાની માહિતી પ્રાપ્ત કરવી. ઇન્ટર્નશીપ  પહેલાં શિક્ષકો સાથે સંગઠનનું કોશલ્ય  વિકસવે. ઇન્ટર્નશીપ પછીની  પ્રવૃત્તિ ઇન્ટર્નશીપ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી અધ્યાપન કાર્યનું કોશલ્ય વિકસતું જોવા મળે છે. ઇન્ટર્નશીપ પછી તાલીમાર્થીઓ વિવિધ અધ્યાપન પધ્યતીઓનો ઉપયોગ કરતાં થયા છે. ઇન્ટર્નશીપ પછી તાલીમાર્થીઓમાં આત્મવિશ્વાસ વધુ જણાયો. ઇન્ટર્નશીપ કાર્યક્રમ પછી શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગ યોગ્ય રીતે કરતાં થયા છે. ઇન્ટર્નશીપ પછી તાલ...

ઇન્ટર્નશીપ : સંકલ્પના,હેતુઓ

ઇન્ટર્નશીપ : સંકલ્પના , હેતુઓ ,   પ્રસ્તાવના         ઇન્ટર્નશીપ શબ્દ ઔધોગીક તાલીમ,સેલ્સમેનશીપ,દાકતરી તાલીમના અભ્યાસક્રમમાં છે તેવી જ રીતે બી.એડમાં પણ આ શબ્દ છે જ. તાલીમાર્થી તાલીમ દરમિયાન મળેલા શિક્ષણકાર્યના પાયાના અનુભવોને લઈને પોતાના કાર્યને વધુ સમૃધ બનાવવા માટે ઇન્ટર્નશીપ કાર્યક્રમમાં જોડાય છે.         ઇન્ટર્નશીપ શબ્દને વ્યાખ્યાયિત કરવો હોય તો તાલીમાર્થી પોતાની વ્યાવસાયિક ફરજો અને જવાબદારીઓ સંતોષકારક રીતે બજાવી શકે તે માટેની જરૂરી અને અનિવાર્ય ક્ષમતઓ, સૂઝ,કૌશલ્યો અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા માટે વાસ્તવિક પર્યાવરણમાં પૂરતા પ્રમાણમાં પૂરતા નક્કર અનુભવોની જોગવાઈ. વ્યાખ્યા                     “વ્યવસાયિક તાલીમ અભ્યાસક્રમો –જેવા કે તબીબી, ઈજનેરી,                                 ટેકનીકલ,પત્રકારત્વ,સેલ્સમેનશીપ, બીઝનેસ મેનેજમેન્ટ              ...

D.EL.ED શૈક્ષણિક સ્ટાફ

D.EL.ED શૈક્ષણિક સ્ટાફ     સ્ટાફ:-           50-50 વિધાર્થીઓને બે બુનિયાદી યુનિટો સુધીની ભરતી માટે , શૈક્ષણિક સ્ટાફની સંખ્યા 16 હશે.પ્રિન્સિપાલ/વિભાગ અધ્યક્ષને આ સંખ્યામાં સામેલ કરવામાં આવે છે.   વિષય અનુસાર આ સંખ્યાનું વર્ગીકર ણ નીચે મુજબ છે. સ્ટાફ સંખ્યા પ્રિન્સિપાલ/વિભાગઅધ્યક્ષ 1 શિક્ષણ ને આધારે 3 વિજ્ઞાન 2 માનવીય અને સામાજિક વિજ્ઞાન 2 ગણિત 2 ભાષા 3 લલિતકલા 2 સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ    1        યોગ્યતા     આચાર્ય / વિભાગના અધ્યક્ષ ઓછામાં ઓછા 55%ગુણ સાથે વિજ્ઞાન/સમાજિક વિજ્ઞાન/કલાઓ/માનવીકરણ વિષયમાં સ્નાતક પછી અને ઓછામાં ઓછા 50%ગુણ સાથે M .ED /M .A /M .L.ED ની પદવી. કોઈ પણ અધ્યાપક તરીકે શિક્ષણ સંસ્થા માં ભણાવવાનો 5વર્ષનો અનુભવ. D.E L.E D માં અધ્યાપક  શિક્ષકોની પાસે 50% ગુણ સાથે સામાજિક વિજ્ઞાન/વિજ્ઞાનેતર વિ...

D.EL.ED

પ્રસ્તાવના:-                  પૂર્વ સેવાકાલીન શિક્ષક-શિક્ષણ D.EL.ED એ બે વર્ષનો વ્યવસાયિક કાર્યકમ છે.તેનો ઉદેશ્ય શિક્ષણનું પ્રારંભિક સ્તર કે અવસ્થા એટલે કે 1 થી 5 સુધીના શિક્ષકોને તૈયાર કરવાનું છે.પ્રાથમિક શિક્ષણનો ઉદેશ્ય સમાજની સક્રિય ભાગીદારીથી સમાજ અને જાતિના ભેદોને દૂર કરી સમાવેશી શાળાના પર્યાવરણ/વાતાવરણમાં બધા બાળકોની શિક્ષણ પ્રાપ્ત કરવાની બુનિયાદી એટલે કે પ્રાથમિક આવશ્ક્તાને પૂરી કરવાનું છે.                  પૂર્વ સેવાકાલીન શિક્ષક-શિક્ષણ કાર્યક્રમના જુદા જુદા નામ છે.જેવા કે,બી.ટી.સી , જે.બી.ટી.,ડી.એડ(ડિપ્લોમાં ઈન એજ્યુકેશન).હવેથી દરેક રાજ્યમાં આ કાર્યક્રમનું નામ એક જ હશે અને તેનો ઉલ્લેખ "પ્રારંભિક શિક્ષણનું ડિપ્લોમાં (ડિપ્લોમાં ઇન એલીમેટરી એજ્યુકેશન)થી કરવામાં આવશે.   કોર્ષ નો સમયગાળો અને કાર્યદિવસ: -         સમયગાળો :-                 D.EL.ED ક્રાર્યક્મ બે શૈક્ષણિક વર્ષોની સમયમર્યાદા વાળા હશે પરંતુ વિધાર્થીઓને આ ...